Posts

Showing posts with the label PSM JIVAN CHARITRA

New GST Structure (Effective 22 September 2025)

Image
  New GST Structure (Effective 22 September 2025 ) 1. Simplified Tax Slabs The GST Council has consolidated the existing four tax slabs into two primary slabs — 5% and 18% —making the system more streamlined. The Economic Times Reuters The Times of India A special 40% slab has been introduced for luxury and "sin goods" (e.g., high-end vehicles, tobacco, casinos, lotteries). Reuters +1 The Times of India India Today Jagranjosh.com Press Information Bureau 2. Items Now at 5% GST Many everyday essentials and services are now taxed at this lower rate: Daily essentials : soaps, shampoos, toothpaste, hair oil, packaged foods, ghee, cheese, paneer, UHT milk, ice cream, rotis, namkeen. Reuters Indiatimes Upstox - Online Stock and Share Trading The Times of India Jagranjosh.com Hindustan Times Dairy products : Most—such as paneer, butter, cheese, UHT milk—see GST reduced to 5% (some exempt to 0%). Upstox - Online Stock and Share Trading The Times of India Jagranjosh...

સંવેદનશીલ શાંતિલાલ

Image
 સંવેદનશીલ શાંતિલાલ મોટે ભાગે બાલ્યાવસ્થા પરોપજીવી હોય છે. તેથી તે બીજાને માટે ભાર- રૂપ થઈ રહે, પરંતુ શાંતિલાલ અહીં પણ સૌ બાળકોથી અલગ તરી આવતા. કદીયે કોઈને બોજારૂપ ન થવાનો જ વિચાર અને તે અનુસાર જ વર્તણૂક રાખતા. અને હા, શાંતિલાલની સંવેદનાનું આ વર્તુળ કેવળ મનુષ્ય પૂરતું જ સીમિત નહોતું. મૂંગા-અબોલ પશુઓ પ્રત્યે પણ તેઓને આવી જ સહાનુભૂતિ રહેતી. શાંતિલાલ રવિવાર કે રજાના દિવસોમાં પશુધન ચરાવવા વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા ગોચરમાં જતા. પશુમાં ઘેર બે ભેંસો અને એક જોડ બળદ હતા. તેને ચરાવવા અગિયારેક વાગ્યે જમી-પરવારી સૌ મિત્રો સાથે તેઓ નીકળે. અડધો કલાકે ત્યાં પહોંચી જવાય. અહીં ગાયો-ભેંસો ચરે. તે વખતે કેટલાક બાળકો ગાય-ભેંસ પર બેસીને સવારીનો આનંદ લૂંટે. બપોરે આ પશુઓ નદીમાં પણ પડે. ત્યારે કેટલાક છોકરા તેની પર બેસીને સહેલ પણ કરે, પરંતુ શાંતિલાલ કોઈ દિવસ આ ચાળે ચડ્યા નહોતા. નદીમાં પાણી બહુ આવી ગયું હોય તોય મોટે ભાગે પૂછડું પકડીને જ સામે કિનારે જાય. પશુ પર બેસે તો ભાગ્યે જ. ગાય-ભેંસ પર બેસીને તેને ભારે મારવાના વિચારમાત્રથી તેઓ દ્રવી अठता. 'आत्मवत् सर्वभूतेषु यः पश्यति स पश्यति...' अनुसार ४१-प्र...

શાંત અને સુલેહકારી

Image
 શાંત અને સુલેહકારી “શેરીએ રમતાં અથડાતાં, છોરાં રાખે દાવા રે; સબળ થઈ કોઈ લીએ ચૂંટિયો…” આ છે બાલ્યાવસ્થાનું શબ્દચિત્ર. કજિયા-કંકાસ કે લડાઈ-ઝઘડા વિનાનું બાળપણ કોનું વીત્યું હશે? પરંતુ અવસ્થાના આ આવેગોથી પણ શાંતિલાલ અભડાયા નહોતા. “મને પહેલેથી કોઈની સાથે ઝઘડો થાય એ ગમે નહીં ને કોઈ ઝઘડો કરતું હોય તે જોવુંય ગમે નહીં. મનમાં દુઃખ થાય કે આ ઝઘડે છે શું કરવા? ઝઘડાનો પ્રસંગ થયો હોય તોયે ઝઘડીએ નહીં. સહન કરી લેવાનું. કોઈની જોડે ઝઘડો ન થાય તે પહેલું જોવાનું. નાનપણથી જ કોઈ લડતા-ઝઘડતા હોય તો ત્યાંથી જતો જ રહું. તકરારનો પહેલેથી જ સ્વભાવ નહીં. બીજા કોઈ ઝઘડે તેમાં મને બીક લાગતી. બીજાને ઝઘડતા જોઈ રડી પડીએ તેવું હતું.” તેઓને મુખેથી સરેલા આ શબ્દો પરથી શાંતિલાલનો શાંત-સુલેહકારી સ્વભાવ પરખાય છે. પોતાની આવી જીવનશૈલીથી તેઓને સૌ સાથે સારાવાટ. મોતીકાકાના પરિવારમાં શાંતિલાલ સાથે પુત્રોમાં ડાહ્યાભાઈ, નંદુભાઈ, પુરુષોત્તમભાઈ અને પુત્રીઓમાં કાશીબહેન, કમળાબહેન, ચંચળબહેન, સવિતાબહેન, ગંગાબહેન અને ડાહીબહેન હતાં.” આ સૌમાં સવિતાબહેનને શાંતિલાલ માટે અધિક પ્રેમ રહેતો. પ્રસંગોપાત્ત ઘરમાં વેવિશાળ નિમિત્તેની માટલીમાં મીઠાઈ આવ...

ત્યાગે તપે પૂરા રે પ્રમુખસ્વામી મહારાજ

Image
 ત્યાગે તપે પૂરા રે શાંતિલાલની ઊડીને આંખે વળગે તેવી એક વિશેષતા એ રહેલી કે તેઓ મિતભાષી હતા, પણ મૂંગાં નહીં. સમય આવ્યે જે સાચું હોય તે મક્કમતાથી કહેતા અને તે પ્રમાણે જ કરતા. શાંતિલાલનાં શરૂઆતનાં વર્ષોમાં પિતાશ્રી મોતીભાઈ સાવલી તાલુકાના રાજનગર નામના ગામમાં કામકાજ માટે ગયેલા. શાંતિલાલ પણ સાથે જ હતા. અહીં તેઓ નવેક વર્ષ સુધી રહેલા. તે વખતે બાળમિત્રો સાથે વિવિધ બાળક્રીડાઓ કરતા. ગામની સીમમાં મહોરેલાં આંબા-આંબલીનાં ગોરસ- આંબલી, મરવા વગેરેની ઉજાણી પણ કરતા અને સૌને આનંદ પમાડતા. આ રાજનગરમાં ભાદરણ ગામના છોટાભાઈ નામે સદ્ગૃહસ્થ રહેતા હતા. શાંતિલાલના ઘરની ગલીમાં જ તેઓનું મોટું મકાન હતું. તેઓને નાનાં બાળકો પ્રત્યે અપાર પ્રેમ. જાતજાતની અને ભાતભાતની વસ્તુ-વાનગીઓ લાવીને બાળકોને રાજી કરતાં રહે. ફૂલદોલ વખતે સૌ માટે ખજૂર લાવે, ઉત્તરાયણ વખતે પતંગો અને દિવાળી વખતે ફટાકડા. પરંતુ આ સૌ બાળકોમાં શાંતિલાલ વિશે તેઓને અનહદ લાગણી. તેઓ માટે છોટાકાકા રમકડાં લઈ આવે. શાંતિલાલને એકડો ધુંટાવવા તેઓએ ખાસ શિક્ષક પણ રોકેલો. એક દિવસ આ છોટાકાકાએ સંકલ્પ કર્યો કે “આજે છોકરાંઓને સારી રસોઈ બનાવીને જમાડવા.” આ હેતુસર તેઓએ સૌ બાળકોન...

મિતભાષી અને મિતાહારી

Image
 મિતભાષી અને મિતાહારી બાળપણથી જ શાંતિલાલ મિતાહારી પ્રકૃતિના હતા. ઘરના ભોજનમાં મોટે ભાગે ધોળી જુવારના રોટલા થતા. વારે-તહેવારે દિવાળીબા ઘઉં-બાજરીના રોટલા ઘડતા. પ્રસંગોપાત્ત ઢેબરાંનું ખાણું પણ રહેતું. કઠોળ, દાળ-ભાત, કઢી-ખીચડી વગેરે પણ ક્રમાનુસાર થતાં. શાકમાં બટાટા અને થિલોડાંનું શાક મુખ્યપણે રહેતું. ચોમાસામાં ઘરના વાડામાં વેલા ઉપર ધિલોડાં થાય; તેથી ચાર મહિના એ જ શાક ચાલતું. આમ, શાંતિલાલ આવો સાદો અને સાત્ત્વિક આહાર સૂક્ષ્મ પ્રમાણમાં આરોગતા. તેમાંય તેઓ કેટલીક વાર તો જમવાનું પણ ભૂલી જાય અને દિવાળીબા યાદ કરાવે કે “જમવાનું બાકી છે” ત્યારે જમે!!                     નિશાળે જતાં પૂરી કે ઢેબરાંનો ડબ્બો જો બાંધી આપ્યો હોય તો તે લઈ જાય, નહીં તો એમ ને એમ જાય. કંઈક ખાવા-પીવા બે પૈસા આપ્યા હોય તો તે પણ મોટેભાગે પાછા લઈ આવે. ક્યારેક તેની જલેબી લેતા અને મિત્રોસાથે મિજબાની માણતા. ક્યારેક એ રકમમાંથી પાદરા જઈ પુસ્તકો પણ ખરીદી લાવતા. આમ, ખાવા-પીવામાં બિલકુલ તાલમેલ નહીં. જમવામાં આ ભાવે કે તે ભાવે એવું પણ નહીં. કોઈ વખત દિવાળીબા પૂરણપોળી કરે તો તે ...

મિતભાષી અને મિતાહારી પ્રમુખ સ્વામી મહારાજ

Image
 મિતભાષી અને મિતાહારી બાળપણથી જ શાંતિલાલ મિતાહારી પ્રકૃતિના હતા. ઘરના ભોજનમાં મોટે ભાગે ધોળી જુવારના રોટલા થતા. વારે-તહેવારે દિવાળીબા ઘઉં-બાજરીના રોટલા ઘડતા. પ્રસંગોપાત્ત ઢેબરાંનું ખાણું પણ રહેતું. કઠોળ, દાળ-ભાત, કઢી-ખીચડી વગેરે પણ ક્રમાનુસાર થતાં. શાકમાં બટાટા અને થિલોડાંનું શાક મુખ્યપણે રહેતું. ચોમાસામાં ઘરના વાડામાં વેલા ઉપર ધિલોડાં થાય; તેથી ચાર મહિના એ જ શાક ચાલતું. આમ, શાંતિલાલ આવો સાદો અને સાત્ત્વિક આહાર સૂક્ષ્મ પ્રમાણમાં આરોગતા. તેમાંય તેઓ કેટલીક વાર તો જમવાનું પણ ભૂલી જાય અને દિવાળીબા યાદ કરાવે કે “જમવાનું બાકી છે” ત્યારે જમે!! નિશાળે જતાં પૂરી કે ઢેબરાંનો ડબ્બો જો બાંધી આપ્યો હોય તો તે લઈ જાય, નહીં તો એમ ને એમ જાય. કંઈક ખાવા-પીવા બે પૈસા આપ્યા હોય તો તે પણ મોટેભાગે પાછા લઈ આવે. ક્યારેક તેની જલેબી લેતા અને મિત્રો સાથે મિજબાની માણતા. ક્યારેક એ રકમમાંથી પાદરા જઈ પુસ્તકો પણ ખરીદી લાવતા. આમ, ખાવા-પીવામાં બિલકુલ તાલમેલ નહીં. જમવામાં આ ભાવે કે તે ભાવે એવું પણ નહીં. કોઈ વખત દિવાળીબા પૂરણપોળી કરે તો તે જમવાની સહેજ રુચિ જણાવતા. બાકી 'રસ-નિરસ બરોબર સમું' એવી એમની પ્રકૃતિ હતી. પણ...

સન ૧૯૨૧-૩૫ શિશવનો વૈભવ

Image
  સન ૧૯૨૧-૩૫ શિશવનો વૈભવ “સમાન સાથે સુખથી મળાય, મોટા થકી તો ડરી દૂર જાય; કીડી મળે કુંજર સાથે કેમ, મળે ન ભૂપાળ ગરીબ તેમ. મૈત્રી કરે બાળક સાથે બાળ, વિશાળ સાથે જન જે વિશાળ; પશૂ પશુ સાથે વિનોદ પામે, માટે મળે છે જઈ એક ઠામે. સ્વજાતિ સાથે સુખ થાય તેવું, વિજાતિ સાથે નવ થાય એવું; પાણી તણો છે જડ જે પ્રવાહ, સ્વજાતિ સાથે જ મળે અથાહ. જો દેવ કોઈ દરશાય સામે, તો ભૂત જાણી જન ભીતિ પામે; મનુષ્યની સાથે મનુષ્ય થાય, ત્યારે મનુષ્યે સુખ તો પમાય.” આ પંક્તિઓમાં પરબ્રહ્મનું નરતનું ધારણ કરવાનું કારણ દર્શાવાયું છે. મનુષ્યને દિવ્યતાનો ઓપ આપવા ભગવાન અને તેઓને અખંડ ધારક સંત દિવ્યભાવ છુપાવીને મનુષ્ય જેવા બની રહે છે. જો કે મનુષ્ય-સ્વરૂપમાં પણ તેઓનાં ઐશ્વર્ય, સામથ્ર્ય, પ્રતાપ લેશેય ઝંખવાતાં નથી. આ અનુભવ તેઓને સાંનિધ્યમાં સતત થયા કરે છે. ચાણસદવાસીઓ પણ આ અનુભવથી અળગા ન રહી શક્યા. 'बालानां रोदनं बलम् ।' भानुं ३६न. ते वातवातभां लेंडडो ताशे. આકળો-ઉતાવળો થઈ જાય. આ અવસ્થામાં સહનશીલતાના નામે શૂન્ય હોય. પરંતુ દિવાળીબાના આ દીકરા બાબતે સૌનો અનુભવ જુદો જ રહેતો. તેની સહનશીલતા વિશે સૌ કહેતા : “એનામાં પહેલેથી સહનશક્તિ બહુ. નાન...

સન ૧૯૨૧ અવિનાશીનું અવતરણ

Image
 સન ૧૯૨૧ અવિનાશીનું અવતરણ આવા પુણ્યવંતા પરિવારમાં સૃષ્ટિના ભાગ્યસૂર્યનો ઉદય થવાની મંગલ ઘડીઓ ગણાવા લાગી. વર્ષ હતું – સંવત ૧૯૭૮નું, સન ૧૯૨૧નું. “ઃ ઃઃ – “મહિનાઓમાં માગશર મહિનો હું છું' કહીને ભગવાને જેને પોતાનો વિભૂતિસ્વરૂપ ગણ્યો છે, એ જ માગશર માસમાં ભગવાનની મનુષ્યાકાર વિભૂતિએ પણ અવતાર ધારણ કરવાનું પસંદ કર્યું. સાત દિવસનું સપ્તાહ તેના ચક્રના મધ્ય ભાગ સમા બુધવાર સુધી પહોંચેલું. પંદર દિવસનું અજવાળિયું પખવાડિયું તેના ચક્રના મધ્ય ભાગ સમી સુદ આઠમ સુધી પહોંચેલું. શિયાળાની સવારના સુકુમાર તડકાની ભગવી આભાથી નભોમંડળ અને ભૂમંડળ રંગાયેલું ત્યારે આશરે આઠ-નવ વાગ્યાના સુમારે ચાણસદ ગામના આ પવિત્ર પરિવારમાં પનોતા પુત્રનો પ્રાદુર્ભાવ થયો.” ઘરનાં અને ગામનાં મનુષ્યો માટે આ ઘડી હતી પુત્રજન્મની; પરંતુ સરકતો સમય પુરવાર કરવાનો હતો કે એ ઘડી હતી અવિનાશીના અવતરણની, સૃષ્ટિના સૌભાગ્યની, માનવમાત્રના માંગલ્યની. સૂર્યોદય કદી સાધારણ નથી હોતો. સૂર્ય ક્ષિતિજે આવતાં જ અંધારાં આથમે છે, ઉજાશ ફેલાય છે, સુસ્તી વિરમે છે, સ્ફૂર્તિ પ્રગટે છે, પુષ્પો ખીલે છે, કલરવ ગુંજે છે, નીર ચમકી ઊઠે છે. સૂર્યોદયની જેમ આ પુત્રનું પ્રાગટ્ય પણ ...

પુણ્યવંતો પરિવાર

Image
 પુણ્યવંતો પરિવાર ગુણાતીત ગુરુઓની પાવન પદરજથી ધન્ય થતા રહેલા આ ગામને જાણે ગુણાતીત સત્પુરુષનો નેડો લાગી ગયો હોય તેમ તેઓનું જ સાંનિધ્ય સેવવાની અદમ્ય ઝંખના હશે. ભગવાનને પણ ગામનો આ મનોરથ પૂરો કરવાનો ઈરાદો હોય તેવા જ પ્રકારની ઘટનાઓ ગામમાં આકાર લેવા લાગી. તેના પ્રથમ સોપાનરૂપે લેઉઆ પાટીદાર જ્ઞાતિમાં મોતીભાઈનો જન્મ થયો. પ્રભુદાસ પટેલના ત્રણ સુપુત્રોમાંથી એક તેઓ. અક્ષર-પુરુષોત્તમ ઉપાસનાના પ્રખર પ્રવર્તક શાસ્ત્રીજી મહારાજના યોગે મોતીભાઈને સત્સંગનો રંગ લાગ્યો. સવાર-સાંજ મંદિરમાં દર્શને જવું, કથા- કીર્તનમાં લયલીન થઈ જવું, શ્રીજીની આજ્ઞા અનુસાર જીવન જીવવું એ તેઓને અંગભૂત ગુણો હતા. જ્યારે ગામમાં શાસ્ત્રીજી મહારાજ કે સંતો પધારે ત્યારે તો કાયાની સાથે છાયાની જેમ મોતીભાઈ તેઓની સેવામાં જ પરોવાયેલા રહેતા. તેઓની નિર્દોષ સેવા-ભક્તિથી શાસ્ત્રીજી મહારાજ પણ તેઓ પર ઘણા પ્રસન્ન થતા. बोडोडित छे डे 'दुर्लभा सदृशी भार्या।' - સમાન સ્વભાવવાળી અર્ધાંગિની મળવી દુર્લભ છે, પરંતુ ભગવદ્ભક્તિપરાયણ આ ભક્તરાજના જીવનમાં આ દુર્લભ વાત સાકાર બનેલી. વડોદરા જિલ્લાના મેનપુરા ગામમાં જન્મેલાં દિવાળીબા સાથે મોતીભાઈના ગૃહસ્થાશ્ર...

અવિનાશીનું અવતરણ

Image
  અવિનાશીનું અવતરણ ભાગ્યવંતી ભૂમિ પૃથ્વીના ગોળાર્ધની રીતે જુઓ તો ૨૨.૨૩૭૪ ઉત્તર અક્ષાંશ અને ૭૩.૦૯૦૬ પૂર્વ રેખાંશ પર વસેલું ચાણસદ ગામ એટલે વડોદરાની કાંધનો ક્યારો. વડોદરાથી નૈઋત્ય દિશામાં આશરે બાર કિલોમીટરની મજલ કાપો એટલે ચાણસદનું પાદર આવે. ગામડાંની ભાતીગળ વિશેષતાઓ એ પાદરમાં પગ મૂકતાં જ આગંતુકને અનુભવાય. શાંત-સુરમ્ય વાતાવરણ. અપ્રદૂષિત હવાની લહેરખીઓ. નીલવર્ણા જળ સંઘરીને હિલોળતું તળાવ. ગામડાંઓની ધૂળમાંથી ઊઠતી વિશિષ્ટ સોડમ. ભોળા ગ્રામીણ જનોની રઘવાટમુક્ત ચહલ-પહલ. નીચાં નળિયેલ ખોરડાં. તેની વચ્ચે વટ વેરતાં ધાબાબંધ પાકાં મકાનો. ઘણી વાર ઘરના ઉંબરે જ ધોવાતાં વસ્ત્ર- વાસણોને કારણે ગલીએ ગલીએ પાતાળ-ઝરણાંની જેમ ફૂટી નીકળેલાં પાણીના રેલાઓ. પાતળીયે નહીં ને પહોળીયે નહીં એવી શેરીઓ; ક્યાંક પાકી તો ક્યાંક કાચી. મધુર ઘંટારવથી ગામના ગગનને ભરતાં રહેતાં બે-ચાર દેવાલયો. બે હાથના ટેકે ગોઠણ બાંધીને કે ઊભડક પગે બેઠેલા ગ્રામજનોની અલકમલક વાતોથી ઊભરાતો પંચાયતનો ચોરો. હરોળબંધ ઓરડા કાઢીને બાંધેલી નિશાળ. ગ્રામજનોની તૃષા સંતોષતું વારિગૃહ. આવા આ ગામની શેરી-શેરી પગ તળે કરી નાંખતાં માંડ કલાક – દોઢ કલાક થાય તો થાય. મહી અન...