New GST Structure (Effective 22 September 2025)

Image
  New GST Structure (Effective 22 September 2025 ) 1. Simplified Tax Slabs The GST Council has consolidated the existing four tax slabs into two primary slabs — 5% and 18% —making the system more streamlined. The Economic Times Reuters The Times of India A special 40% slab has been introduced for luxury and "sin goods" (e.g., high-end vehicles, tobacco, casinos, lotteries). Reuters +1 The Times of India India Today Jagranjosh.com Press Information Bureau 2. Items Now at 5% GST Many everyday essentials and services are now taxed at this lower rate: Daily essentials : soaps, shampoos, toothpaste, hair oil, packaged foods, ghee, cheese, paneer, UHT milk, ice cream, rotis, namkeen. Reuters Indiatimes Upstox - Online Stock and Share Trading The Times of India Jagranjosh.com Hindustan Times Dairy products : Most—such as paneer, butter, cheese, UHT milk—see GST reduced to 5% (some exempt to 0%). Upstox - Online Stock and Share Trading The Times of India Jagranjosh...

હનુમાન ચાલીસાનો અનુપમ ઈતિહાસ અને ઐશ્વર્ય

 હનુમાન ચાલીસાનો અનુપમ ઈતિહાસ અને ઐશ્વર્ય



ચૈત્રીપૂર્ણિમા હનુમાન જયંતી તરીકે ભારતભરમાં ઉજવાય છે.  આ હનુમાન જયંતીના પાવન દિવસે જેના નામથી લખાયેલી હનુમાન ચાલીસાના પાઠથી આજે અનેક લોકોના સંકટ નષ્ટ થાય છે. મનોરથ પૂર્ણ થાય છે,એવી હનુમાન ચાલીસાની રચના કેમ થઈ ?તે જાણી આપણે પણ ભારતીય સંતો અને હિંદુ ધર્મ પ્રત્યેનુ ગૌરવ વધારીએ. 


    આપણે હનુમાનજીની પૂજા કરીએ છીએ, "હનુમાન ચાલીસા" નો પાઠ કરીએ છીએ, પરંતુ ઘણા ઓછાને ખબર હશે કે હનુમાન ચાલીસાની રચના કયાં, કયારે, કેવા સંજોગોમાં અને કોના દ્વારા થઈ? 


આ વાત ઈ.સ.૧૬૦૦ ની છે. આ સમ્રાટ અકબર અને સંત શ્રી તલસીદાસજીના સમયની વાત છે. એકવાર સંત તુલસીદાસજી મથુરા જઈ રહ્યા હતા.રસ્તામાં રાત પડવાથી એમણે આગ્રામાં રાતવાસો કરવાનું નકકી કર્યું અને આગ્રામાં રોકાઈ ગયા. આગ્રાના લોકોને ખબર પડી, સંત તુલસીદાસજી આગ્રા પધાર્યા છે, લોકોના ટોળે ટોળા એમના દર્શનાર્થે ઉમટી પડયા. આ વાતની સમ્રાટ અકબરને ખબર પડી, એમણે બિરબલને બોલાવીને પુછ્યું "તુલસીદાસ કોણ છે? જેને મળવા પ્રજા આટલી બધી ગાંડીતુર થઈ છે?" 
ત્યારે બિરબલે અકબરને કહ્યું, એ સંત તુલસીદાસજી છે, જેમણે પવિત્ર ગ્રંથ*શ્રી રામચરિતમાનસ ની રચના કરી છે. હું પણ એમને હમણાં જ મળીને આવ્યો છું. એમનુ એક અલૌકિક પ્રતિભાશાળી વ્યકતિત્વ છે. 


તેથી અકબરે પણ તુલસીદાસજીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. સૈનિકોની એક ટુકડી તુલસીદાસજીને લેવા મોકલી. સૈનિકોએ જઈને તુલસીદાસજીને તુરંત લાલ કિલ્લા પર સમ્રાટ અકબરને મળવાનો આદેશ આપ્યો. આ સાંભળી તુલસીદાસજીએ સૈનિકોને કહ્યું કે હું તો પ્રભુ શ્રીરામનો ભકત છું, મારે તમારા સમ્રાટ અને લાલ કિલ્લા સાથે શું સંબંધ? તેમને મને મળવું હોય તો પ્રેમથી પધારે. 


તુલસીદાસજીનો આ જવાબ સાંભળી અકબરને પોતાનું અહં ઘવાયુ. જાણે પોતાનું અપમાન થયુ એવા વિચારથી લાલપીળો થઈ ગયો અને ગુસ્સામાં સૈનિકોને આદેશ કર્યો તુલસીદાસને બેડીમાં જકડીને મારી સામે પ્રસ્તુત કરવામાં આવે. બિરબલે અકબરને આમ ન કરવાનું વારંવાર સમજાવ્યું, છતાં અકબર એકનો બે ન થયો. સૈનિકો દ્વારા તુલસીદાસજીને બેડીઓમાં જકડી અકબર સામે હાજર કરવામાં આવ્યા. અકબરે અહંકારમાં તુલસીદાસજીને કહ્યું કે તમે એક કરિષ્માઈ  વ્યક્તિ છો, માટે કોઈ કરિષ્મો કરી પોતાને બંધન મુકત કરો, તુલસીદાસજીએ કહ્યું  હું તો ભગવાન શ્રીરામનો ભકત છું, કોઈ જાદુગર નથી, જે આપને કરિષ્મો બતાવી શકુ". 


આ સાંભળીને અકબર વધારે ગુસ્સે થયો. સૈનિકોને આદેશ કર્યો "તુલસીદાસજીને બેડીઓ સહિત અંધારી કોટડીમાં પુરી દેવામાં આવે."  


પછી તુલસદાસજીને ચાળીસ દિવસ સુધી જેલ રહેવું પડયું. જેલવાસ દરમિયાન તુલસીદાસજીમાં રહી સ્વયં હનુમાનજી મહારાજે હનુમાન ચાલીસાની રચના કરી. તુલસીદાસજી આનો પાઠ કર્યો અને ૪૦ દિવસે ચમત્કાર સર્જાણો. અચાનક સેંકડોની સંખ્યામાં વાંદરાઓએ લાલ કિલ્લા પર ધાવો બોલીવી બધું અસ્તવ્યસ્ત અને તોડફોડ કરવા માંડ્યુ. વાંદર સૈન્યને રોકવાની કોઈમાં તાકાત ન હતી. આ બધું જોઈ ગભરાએલા અકબરે બિરબલને બોલાવી પુછયું કે "આ બધુ અચાનક શું થઈ રહ્યુ છે"? બિરબલે કહ્યું કે *મહારાજ, મેં આપને પહેલા જ કહ્યું હતું કે સંત શ્રીતુલસીદાસજીને બેડીબંધનમાં ન નાખો, પણ આપ સહમત થયા જ નહિ, હવે પરિણામ આપની સમક્ષ છે". અકબરને પોતાની ભુલનુ ભાન થયુ. આદેશ આપી તરત સંત તુલસીદાસજીને બંધન મુકત કર્યા. તેથી આ બાજુ બધુ શાંત થઈ ગયુ. *તુલસીદાસજીએ આપ વિતી વર્ણન કરતા બિરબલને કહ્યું "મને વગર અપરાધે શિક્ષા થઈ, મેં અંધારી કોઠડીમાં આખી રાત રડતા રડતા ભગવાન શ્રીરામ અને શ્રી હનુમાનજીની આરાધના કરી. હું રડતો ત્યારે ચમત્કારીક રીતે મારા હાથ પોતાની જાતેજ કાંઈક લખતા હતા. ચાળીસ દિવસે, ચાલીસા ચમત્કારીક રચના થઈ છે.*આ રીતે હનુમાનજીએ મારા દ્વારા "હનુમાન ચાલીસા" ની રચના કરી. અને મારા પર આવેલ ભયાનક સંકટમાંથી મને મુકત કરાવ્યો.  વિશેષમાં પ્રભુએ કહ્યું છે કે, આજથી આ પૃથ્વી ઉપર કયારેય કોઈ પણ વ્યક્તિ સંકટમાં હશે અને આ "શ્રીહનુમાન ચાલીસા"નું વચન પઠન કરશે, તો હનુમાનજી એ વ્યક્તિને કોઈપણ સંકટમાથી ઉગારી લેશે. આજથી આ લેખન "શ્રી હનુમાન ચાલીસા" ના નામથી દુનિયામાં પ્રચલિત થશે."  



આ બાજુ સમ્રાટ અકબરે પણ આ અલૌકિક ચમત્કાર જોઈ તુરંત સંત શ્રીતુલસીદાસજીની માફી માંગી અને ખૂબ માનપૂર્વક પૂરા સંરક્ષણ સાથે તુલસીદાસજીને મથુરા મોકલ્યા. 


આજે પણ "હનુમાન ચાલીસા"ના પાઠ કરી અનેક લોકો સંકટ મુકત થાય છે. માટે જ શ્રીહનુમાનજીને "સંકટ મોચન" પણ કહે છે.


Comments

Popular posts from this blog

હિંદુ ધર્મમાં નામકરણ સંસ્કાર | How to Perform Namkaran Sanskar in Hinduism (Gujarati Guide)

Maruti Victorious: Power, Performance, and Reliability

BAPS Surat Akshardham: A Divine Marvel of Spiritual Grandeur