Posts

New GST Structure (Effective 22 September 2025)

Image
  New GST Structure (Effective 22 September 2025 ) 1. Simplified Tax Slabs The GST Council has consolidated the existing four tax slabs into two primary slabs — 5% and 18% —making the system more streamlined. The Economic Times Reuters The Times of India A special 40% slab has been introduced for luxury and "sin goods" (e.g., high-end vehicles, tobacco, casinos, lotteries). Reuters +1 The Times of India India Today Jagranjosh.com Press Information Bureau 2. Items Now at 5% GST Many everyday essentials and services are now taxed at this lower rate: Daily essentials : soaps, shampoos, toothpaste, hair oil, packaged foods, ghee, cheese, paneer, UHT milk, ice cream, rotis, namkeen. Reuters Indiatimes Upstox - Online Stock and Share Trading The Times of India Jagranjosh.com Hindustan Times Dairy products : Most—such as paneer, butter, cheese, UHT milk—see GST reduced to 5% (some exempt to 0%). Upstox - Online Stock and Share Trading The Times of India Jagranjosh...

સન ૧૯૨૧ અવિનાશીનું અવતરણ

Image
 સન ૧૯૨૧ અવિનાશીનું અવતરણ આવા પુણ્યવંતા પરિવારમાં સૃષ્ટિના ભાગ્યસૂર્યનો ઉદય થવાની મંગલ ઘડીઓ ગણાવા લાગી. વર્ષ હતું – સંવત ૧૯૭૮નું, સન ૧૯૨૧નું. “ઃ ઃઃ – “મહિનાઓમાં માગશર મહિનો હું છું' કહીને ભગવાને જેને પોતાનો વિભૂતિસ્વરૂપ ગણ્યો છે, એ જ માગશર માસમાં ભગવાનની મનુષ્યાકાર વિભૂતિએ પણ અવતાર ધારણ કરવાનું પસંદ કર્યું. સાત દિવસનું સપ્તાહ તેના ચક્રના મધ્ય ભાગ સમા બુધવાર સુધી પહોંચેલું. પંદર દિવસનું અજવાળિયું પખવાડિયું તેના ચક્રના મધ્ય ભાગ સમી સુદ આઠમ સુધી પહોંચેલું. શિયાળાની સવારના સુકુમાર તડકાની ભગવી આભાથી નભોમંડળ અને ભૂમંડળ રંગાયેલું ત્યારે આશરે આઠ-નવ વાગ્યાના સુમારે ચાણસદ ગામના આ પવિત્ર પરિવારમાં પનોતા પુત્રનો પ્રાદુર્ભાવ થયો.” ઘરનાં અને ગામનાં મનુષ્યો માટે આ ઘડી હતી પુત્રજન્મની; પરંતુ સરકતો સમય પુરવાર કરવાનો હતો કે એ ઘડી હતી અવિનાશીના અવતરણની, સૃષ્ટિના સૌભાગ્યની, માનવમાત્રના માંગલ્યની. સૂર્યોદય કદી સાધારણ નથી હોતો. સૂર્ય ક્ષિતિજે આવતાં જ અંધારાં આથમે છે, ઉજાશ ફેલાય છે, સુસ્તી વિરમે છે, સ્ફૂર્તિ પ્રગટે છે, પુષ્પો ખીલે છે, કલરવ ગુંજે છે, નીર ચમકી ઊઠે છે. સૂર્યોદયની જેમ આ પુત્રનું પ્રાગટ્ય પણ ...

શ્રી ગોપાળાનંદ સ્વામી

Image
 📜 Daily Prasang 📜 શ્રી ગોપાળાનંદ સ્વામી સાબરકાંઠા જિલ્લાના ટોડલા ગામે સંવત્‌ ૧૮૩૭, સને ૧૭૮૧માં બ્રાહ્મણ કુળમાં ખુશાલ ભક્ત તરીકે જન્મ લેનાર સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામી બાળપણથી જ ચમત્કારિક વ્યક્તિત્વ ધરાવતા હતા. યુવાવસ્થામાં અષ્ટાંગ યોગ સિદ્ધ કરીને ૨૭ વર્ષની ઉંમરે શ્રીહરિના હસ્તે દીક્ષા લીધી. ઉપનિષદ આદિક વૈદિક સાહિત્યના પ્રખર વિદ્વાન ગોપાળાનંદ સ્વામીએ અનેક ગ્રંથો પણ રચ્યા છે. શ્રીહરિએ મોટેરા સ્થાપીને તેમને સત્સંગનું સુકાન સોંપ્યું હતું. શ્રીહરિની સર્વોપરી ઉપાસનાના ઉપાસક ગોપાળાનંદ સ્વામીની વાતોમાંથી આચમન... દીવ ગામનો એક વાણિયો સંઘ કાઢીને દ્વારિકાની યાત્રા કરવા જાતો હતો. તેને લોજમાં શ્રીરામાનંદ સ્વામી મળ્યા. તેમણે કાંઈક ચમત્કાર દેખાડ્યો, તેણે કરીને ભગવાનપણાનો નિશ્ચય થયો. પછી ઘણેક દિવસે શ્રીજીમહારાજને દર્શને તે વાણિયો આવ્યો. તેને શ્રીજીમહારાજે કહ્યું : 'તમારે કાંઈ સંશય હોય તો આ નાના બાળક સમાધિવાળા છે તેને પ્રશ્ન પૂછો.' ત્યારે તેણે જે જે પ્રશ્નો પૂછ્યા તેના ઉત્તર તે બાળકે કર્યા. તેમાં તે દ્વારાએ રામાનંદ સ્વામીના જેવો શ્રીજીમહારાજે ચમત્કાર જણાવ્યો. ત્યારે એ ભક્તે શ્રીજીમહારાજ પ્રત્યે...

ખેડૂતની ઝૂપડીમાં યોગીબાપા

Image
 એક વખત યોગીબાપા ભુજ પ્રદેશમાં વિચરણમાં હતા.બપોરનો સમય હતો તેથી સર્વે પાછા ફરતા ઉતાવળે ચાલવા લાગ્યા.રસ્તામાં એક ગરીબ ખેડૂત સામે મળ્યો.ટૂંકી ધોતી,માથે ફાટેલ ચીંથરેહાલ ફાળિયું અને ખુલ્લું શરીર. યોગીબાપાને પગે લાગી એણે ભક્તિભાવપૂર્વક કહ્યું : બાપજી,મારી ઝૂંપડી પાવન કરો..      યોગીબાપાએ કહ્યું : હાલો,પધરામણીએ જઈએ..      તડકો બરાબર માથે ચડ્યો હતો.બધા હરિભક્તોની ધીરજ ખૂટી ગઈ હતી.ચાલવાની શ્રદ્ધા રહી ન હતી.પરંતુ યોગીબાપાએ પહેલા ખેડૂતને કહ્યું : તમે જાઓ,અમે આવીએ છીએ..          યોગીબાપા ઝૂંપડીએ ગયા.પેલા ખેડૂતે એક ફાટેલી ગોદડી પાથરી.યોગીબાપા એના ઉપર બિરાજ્યા.અને એમણે પેલા ખેડુતને વર્તમાન ધરાવ્યા ને આશીર્વાદ આપ્યા.પૂજાની મૂર્તિઓ આપી. માળા આપી અને પોતે ફેરવી બતાવી.પછી કહ્યું : દરરોજ સ્વામિનારાયણ ભગવાનની પાંચ માળા ફેરવજો..       ગરીબ ખેડૂત બે હાથ જોડીને ઉભો રહ્યો.યોગીબાપાની આજ્ઞા એણે નમ્રતાપૂર્વક સ્વીકારીને સાષ્ટાંગ પ્રણામ કર્યા..        થોડીવાર રહી યોગીબાપાએ ખેડૂતને કહ્યું : રજા આપો તો જઈએ.ખેડૂતની આંખમાં પ...

પુણ્યવંતો પરિવાર

Image
 પુણ્યવંતો પરિવાર ગુણાતીત ગુરુઓની પાવન પદરજથી ધન્ય થતા રહેલા આ ગામને જાણે ગુણાતીત સત્પુરુષનો નેડો લાગી ગયો હોય તેમ તેઓનું જ સાંનિધ્ય સેવવાની અદમ્ય ઝંખના હશે. ભગવાનને પણ ગામનો આ મનોરથ પૂરો કરવાનો ઈરાદો હોય તેવા જ પ્રકારની ઘટનાઓ ગામમાં આકાર લેવા લાગી. તેના પ્રથમ સોપાનરૂપે લેઉઆ પાટીદાર જ્ઞાતિમાં મોતીભાઈનો જન્મ થયો. પ્રભુદાસ પટેલના ત્રણ સુપુત્રોમાંથી એક તેઓ. અક્ષર-પુરુષોત્તમ ઉપાસનાના પ્રખર પ્રવર્તક શાસ્ત્રીજી મહારાજના યોગે મોતીભાઈને સત્સંગનો રંગ લાગ્યો. સવાર-સાંજ મંદિરમાં દર્શને જવું, કથા- કીર્તનમાં લયલીન થઈ જવું, શ્રીજીની આજ્ઞા અનુસાર જીવન જીવવું એ તેઓને અંગભૂત ગુણો હતા. જ્યારે ગામમાં શાસ્ત્રીજી મહારાજ કે સંતો પધારે ત્યારે તો કાયાની સાથે છાયાની જેમ મોતીભાઈ તેઓની સેવામાં જ પરોવાયેલા રહેતા. તેઓની નિર્દોષ સેવા-ભક્તિથી શાસ્ત્રીજી મહારાજ પણ તેઓ પર ઘણા પ્રસન્ન થતા. बोडोडित छे डे 'दुर्लभा सदृशी भार्या।' - સમાન સ્વભાવવાળી અર્ધાંગિની મળવી દુર્લભ છે, પરંતુ ભગવદ્ભક્તિપરાયણ આ ભક્તરાજના જીવનમાં આ દુર્લભ વાત સાકાર બનેલી. વડોદરા જિલ્લાના મેનપુરા ગામમાં જન્મેલાં દિવાળીબા સાથે મોતીભાઈના ગૃહસ્થાશ્ર...

ભગવાન સ્વામિનારાયણે ગુણાતીતાનંદ સ્વામીને જુનાગઢ મંદિરના મહંતની સેવા આપી

Image
 📜 Daily Prasang 📜 ભગવાન સ્વામિનારાયણે ગુણાતીતાનંદ સ્વામીને જુનાગઢ મંદિરના મહંતની સેવા આપી હતી.સ્વામીશ્રી જ્યારે જુનાગઢ વિરાજતા ત્યારે દેશાંતરના હરિભક્તોં સ્વામીશ્રીના દર્શને આવતા. એક વખત આખા ગામના ઉનેવાળ બ્રાહ્મણ મુળજી ક્ષોત્રીય સ્વામીશ્રીના દર્શને આવ્યા. સ્વામીશ્રી સભામાં વિરાજતા હતા,તેમને દંડવત કરી તે સભામાં બેઠાં. થોડીવારે સ્વામીશ્રીએ તેમને બોલાવ્યા ને કહ્યું, " કેમ સુખી છો ને? કંઇ પૂછવું છે? "      પોતાના અંતરની વાત સ્વાશ્રીએ જાણી લીધી, તેથી તેને આનંદ થયો. પછી તેણે હાથ જોડીને પૂછ્યું, " સ્વામી!  ઓણ સાલ મારા પુત્ર વાલજીના લગ્ન થાય તેમ છે, તો કરું કે નહીં? "    આ સાંભળી સ્વામીશ્રી થોડીવાર આંખો મીંચી ગ્યા. પછી નેત્ર ખોલીને તેના તરફ દ્રષ્ટિ કરીને કહ્યું :"મુળજી!  ઓણ સાલ તારાં વાલજીને પરણાવીશ મા.ગમે તેમ કરી આ વરસ જાવા દે. "    મુળજીને તો તેના પુત્રને પરણાવવાનો આગ્રહ ન હતો. તેમાં વળી સ્વામીશ્રીએ ઓણ લગ્ન કરવાની ના કહી, તેથી તેનો સંકલ્પ બંધ જ થઈ ગયો. પરંતુ તેના વેવાઇને ખર્ચ ઉગારવા બે દીકરી સાથે પરણાવવાનો આગ્રહ હતો. મુળજીને થયું કે વેવાઇને...

અવિનાશીનું અવતરણ

Image
  અવિનાશીનું અવતરણ ભાગ્યવંતી ભૂમિ પૃથ્વીના ગોળાર્ધની રીતે જુઓ તો ૨૨.૨૩૭૪ ઉત્તર અક્ષાંશ અને ૭૩.૦૯૦૬ પૂર્વ રેખાંશ પર વસેલું ચાણસદ ગામ એટલે વડોદરાની કાંધનો ક્યારો. વડોદરાથી નૈઋત્ય દિશામાં આશરે બાર કિલોમીટરની મજલ કાપો એટલે ચાણસદનું પાદર આવે. ગામડાંની ભાતીગળ વિશેષતાઓ એ પાદરમાં પગ મૂકતાં જ આગંતુકને અનુભવાય. શાંત-સુરમ્ય વાતાવરણ. અપ્રદૂષિત હવાની લહેરખીઓ. નીલવર્ણા જળ સંઘરીને હિલોળતું તળાવ. ગામડાંઓની ધૂળમાંથી ઊઠતી વિશિષ્ટ સોડમ. ભોળા ગ્રામીણ જનોની રઘવાટમુક્ત ચહલ-પહલ. નીચાં નળિયેલ ખોરડાં. તેની વચ્ચે વટ વેરતાં ધાબાબંધ પાકાં મકાનો. ઘણી વાર ઘરના ઉંબરે જ ધોવાતાં વસ્ત્ર- વાસણોને કારણે ગલીએ ગલીએ પાતાળ-ઝરણાંની જેમ ફૂટી નીકળેલાં પાણીના રેલાઓ. પાતળીયે નહીં ને પહોળીયે નહીં એવી શેરીઓ; ક્યાંક પાકી તો ક્યાંક કાચી. મધુર ઘંટારવથી ગામના ગગનને ભરતાં રહેતાં બે-ચાર દેવાલયો. બે હાથના ટેકે ગોઠણ બાંધીને કે ઊભડક પગે બેઠેલા ગ્રામજનોની અલકમલક વાતોથી ઊભરાતો પંચાયતનો ચોરો. હરોળબંધ ઓરડા કાઢીને બાંધેલી નિશાળ. ગ્રામજનોની તૃષા સંતોષતું વારિગૃહ. આવા આ ગામની શેરી-શેરી પગ તળે કરી નાંખતાં માંડ કલાક – દોઢ કલાક થાય તો થાય. મહી અન...

📜 Daily Prasang 📜

 📜 Daily Prasang 📜       એકવાર શ્રી ગોપાળાનંદ સ્વામી ભાલના ગામ ભોળાદમાં પધાર્યા હતા. તે ગામમાં એક પટેલના ઘરે એક પવિત્ર બ્રાહ્મણ કથા વાંચતા હતા. ત્યારે એ પટેલે તેમને કહ્યું કે, ગોર મહારાજ, જો તમારે કથા કરવી હોય તો આ સ્વામિનારાયણની નવા પંથની કંઠી તોડી નાખો.     ત્યારે બ્રાહ્મણ કહે કે, મુખીબાપા, આ મારા ઇષ્ટદેવની કંઠી તો મારા માથા સાટે છે. ત્યારે એ પટેલ કહે તો અમારે તમારી પાસે કથા કરાવવી નથી. એમ કહીને એ ગોરમહારાજને તુંરત જ રજા દીધી.         પછી તે વાત કોઈક હરિભક્તે શ્રી ગોપાળાનંદ સ્વામીને આવીને કહી. તે વખતે ગામનો એ પટેલ પણ સ્વામી સન્મુખ સહુ સાથે ત્યાંજ બેઠો હતો.       પછી સ્વામીએ કહ્યું, 'પટેલ, કથા કરનાર વ્યાસજીનું સ્વરુપ કહેવાય! તમે વ્યાસજીનું અપમાન કેમ કર્યું ? તમે કથાકાર બ્રાહ્મણનું અપમાન નથી કર્યું પણ વ્યાસજીનું અપમાન કર્યું છે ! માટે તમને એક જમ તેડવા આવશે.               ત્યારે પટેલ ઉદ્ધતાઇથી કહે કે, એક જમને તો હું મારી નાખીશ.     ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે, તો બે જમ આવશ...